


રીપોર્ટ:- મનુભાઈ આહીર
આ મુલાકાત દરમિયાન માળીયા તાલુકા ના સુલતાનપુર ગ્રામપંચાયત માથી અલગ વિશાલનગર ગ્રામપંચાયત ની મંજુરી આપતા ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ દ્વારા અલગ નવી ગ્રામપંચાયત ની મંજુરી મળતા પ્રજા ના પ્રશ્નો નું જલ્દી થી નિરાકરણ થાશે તેમજ પ્રજાલક્ષી સુવિધાઓ મા વધારો થાશે. આ ગ્રામપંચાયત ની મંજુરી આપવા બદલ માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારો પ્રજાલક્ષી પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ એવા ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ..આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયા, માળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયા, નિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયા, આશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ.
