

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા માં તારીખ ૧૪ મેના રોજ ગુજરાત સરકાર પ્રજાને દ્વારે અંતર્ગત 8મા તબક્કાનો ઉમરેઠ તાલુકાના “સેવા સેતુ” કાર્યક્રમ કલસ્ટર સમાવિષ્ટ ગામો (દાગજીપુરા, રતનપુરા, ખાનકુવા)નો દાગજીપુરા ગામ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન પરમાર ,ઉમરેઠ તાલુકા ભાજપના પ્રમુખ વિમલભાઈ પટેલ ,ખાનકુવા જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પિન્કીબેન ઠાકોર,ઉમરેઠ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સોમાભાઈ ભોઈ, કારોબારી અધ્યક્ષ દિપીકાબેન પટેલ, ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા, દાગજીપુરા સરપંચ શ્રી, તાલુકા ભાજપ મહામંત્રી સુભાષભાઈ પરમાર, તાલુકા મંત્રી મંગળભાઈ ભોઈ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તથા કર્મચારી ગણ, કલસ્ટર સમાવિષ્ટ ગામો ના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
