
જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની બેઠક યોજાઇ હતી જેમાં પ્રમુખ કિશોરસિંહ જાડેજા પૂર્વધારાસભ્ય માર્કેટીગ પાર્ડના ચેરમેન તેમજ સંઘના ડીરેકટર બ્રીજ રાજસિહ જાડેજા ડીરેકટર કાન્તીભાઈ બકોરી તથા જમાનાભાઈ વાછાણી ભીમશીભાઈ શીર સંઘના મેનજર હિતેષ જોષી વગેરે ઉપસ્થિત રહેલ આ બેઠકમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ સવારે ૮થી ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે તેમ જ દરેક જાતના ખાતર બિયારણ તથા દવા વેચાણ નહી નફો નહી નુકશાનના ધોરણે કરવામાં આવશે તેમ જ ખેડૂતો માટે સબસીડી યોજના વાળા ખાતરનું પણવેચાણ થશે તથા આગામી સમયમાં ખેડતો ને આધુનિક સુવિધાવાળુ અદ્યતન ગોડાઉન સાથેનું તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફીસનું બીલ્ડીંગ મળશે તથા જિલ્લા પંચાયત હસ્તકની ખેડુતોને તાલપત્રી મળવી વગેર જેવી ખેડૂતો ને મળવાપાત્ર યોજનાઓ ટુક સમયમાં અમલી બનાવાશે
