મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. આના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજીરોટી માટે ફરતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને હવે રહેવાનું કાયમી સરનામું મળ્યું છે. મુખ્યમંત્રી એ વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે, તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કુરિવાજોમાંથી બહાર આવીને આગળ વધીએ. તેમણે આ પરિવારોને બાળકોને ભણાવવા માટે હાર્દભરી અપીલ પણ કરી હતી. વિચરતી જાતિના લોકો માટે અનેક પ્રકારના એનજીઓ તેમને અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે વિચરતી જાતિના લોકોને એજ્યુકેશન આપવા થી લઈને તેમને વિવિધ રોજગારીની તકો આપવાને લઈને કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ દિશામાં વિવિધ સંસ્થાઓ ની સાથે સાથે સરકતા દ્વારા પણ આગામી સમયમાં વધુ સાધન સહાય પહોંચતિ કરવામાં આવે તેમજ અન્ય પ્રકારની સવલતો, યોજનાઓ લાગુ કરવામાં આવે તે પણ તેમના માટે જરૂરી હોવાનું તેમની સાથે જોડાયેલા લોકોની માનવું છે. ત્યારે સરકાર પણ આ દિશામાં ગતિશીલ રીતે આગળ વધી રહી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM