


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
સંતશ્રી ગુરૂદેવ રાકેશભાઈની પ્રેરણાથી શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર… વાલીઓ માટે ખુશખબર….નોટબુક,-શૈક્ષણિક સાઘન સામગ્રીનું રાહતદરે વિતરણ આજ 1જુનેથી દક્ષિણ ગુજરાતના ૬૦ કેન્દ દ્ઘારા સવારે ૯ થી ૫ દરમિયાન મળશે. દર વર્ષની જેમ નવા શૈક્ષણિક વર્ષમાં રાહત દરે નોટબુક તથા શૈક્ષણિક સાધન સામગ્રીનું વિતરણ. ડાંગમાં આહવા ખાતે ગ્રામવિકાસ એજન્સી અને નાહરી કેન્દ્ર, સામે શિક્ષણ કોલોનીમાં મંડપ પાડી વિતરણ આહવા નગરના સંરપચ શ્રીહરીચંદભાઈ ભોયે અને ઉપસંરપચશ્રી હરીરામ સાંવતના હસ્તે દિપ પ્રગટીને શરૂ કરવામાં આવ્યું.
આ સેન્ટર દ્ઘારા છેલ્લા ૧૦ વર્ષથી ડાંગ આહવના શ્રીદત્તાત્રેય મોરે તેમની ટીમમાં શ્રીગૌરવ કટારે ડાંગના વિઘાર્થીને વાલીના લાભાર્થે સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે નિવૃત્ત મામલતદાર શ્રી રાજેન્દ દુષાણે અને શ્રીકાકાકિરીટ પટેલ ઉપસ્થીતિ રહી પ્રોત્સાહિત કર્યા.
