
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ઓડ શહેર ખાતે શહેરના મધ્યભાગમાં હનુમાનજીના મંદિર માટે ખાતમુહૂર્ત વિધિ તથા ઓડ શહેરના પરા વિસ્તારમાં વિવિધ આરસીસી રસ્તાઓનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઓડ નગરપાલિકા ના પ્રમુખ મીનાબેન તળપદા, ઓડ નગર પાલિકાના ઉપપ્રમુખ ગોપાલસિંહ રા ઉલજી, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, સામાજિક અગ્રણી અશોકભાઈ રાવ, કારોબારી સમિતિના ચેરમેન હસમુખભાઈ રોહિત, નગરપાલિકાના સદસ્ય શ્રી ઓ, પાટીદાર અગ્રણી આગેવાન શ્રીઓ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
