

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય-વડોદરા
ગુજરાત રાજ્ય ના માનનીય મંત્રી શ્રી અને વડોદરા શહેર વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતિ. મનીષાબેન વકીલ દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરના ૧૪૫૦ જેટલા બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે આજ રોજ વડોદરા વોર્ડ નં ૪ મા આવેલ ભાથીજી આંગણવાડી મા પોષણ કીટ નું વિતરણ કરવામા આવ્યું.જેમાં વોર્ડ ૪ ના કોર્પોરેટર શ્રીમતી પીંકીબેન સોની દ્વારા બાળકો ને પોષણ કીટ આપવામાં આવી તથા તેઓ સાથે બાળગીતો ની મજા માણી.
