
તા.૧૭ અને ૧૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન શીમલા, હિમાચલ પ્રદેશ ખાતે યોજાયેલ ૮૨મી અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીશ્રીઓની પરિષદમાં પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી દ્વારા રચવામાં આવેલી ‘‘શ્રેષ્ઠ વિધાનસભા/વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિ’’માં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ છે.
