
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઇ ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડૉ સરોજબેન પટેલની આગેવાની હેઠળ 30 જેટલા અલગ અલગ પ્રકારના ફળફળાદી તેમજ આરોગ્યને લગતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં ડૉ વિવેક , ડો વિરલ , ડૉ જયરાજ , સ્ટાફ બ્રધર પિંકેશ પટેલ તથા ધનેશ ભાઈ તેમજ X-RAY ટેક્નિશીયન અજયભાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સારી રીતે માવજત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી લોકોને આના ઉપયોગ વિશે સમજ આપવામાં આવી અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવામાં આવ્યો

