

રિપોર્ટ : બીના પટેલ
કરમસદ ખાતે તારીખ 5-6-2022 ના રોજ વલ્લભ વિદ્યાનગર માં આવેલ અક્ષર ફિજીયોથેરાપી ક્લિનિક ના ડો. જય શર્મા, ડો. નિકુંજ પટેલ તથા ફિજીયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ફિજીયોથેરાપી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્રામ ટ્રસ્ટના લગભગ દરેક વૃધ્ધોની સારવાર તેમણે જાતે કરી હતી, અને વૃધ્ધોના આશીર્વાદ લીધા હતા. આ સમયે કરમસદ શહેર ભાજપ પ્રમુખ સુનિત દિલીપભાઈ પટેલ તથા ધ્રુવ પટેલ હાજર રહ્યા હતા.
