

રિપોર્ટ : બીના પટેલ
વડોદરા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ધ્વારા શક્કરપુર જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથેનો સંવાદ કાર્યક્રમ રાલેજ શ્રી શિકોતર માતાજીના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તા.પં પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, જી.પં સદસ્ય જયેશભાઇ ટંકર, તા.પં સદસ્ય વિઠ્ઠલસિંહ વાઘેલા, જી.પં પ્રતિનિધિ રણછોડભાઈ જાદવ તેમજ સંગઠનના હોદ્દેદારો, વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

