

રિપોર્ટ: ચિરાગ પાન્ડેય
વડોદરા ઉડાન ગ્રુપ દ્વારા 100 થી 150 બાળકોને સ્કુલબેગ,ચોપડા, વોટરબેગ ,લંચબોક્ષ અને કંપાસ બોક્સ તેમજ બધી સ્કુલ ને લગતી બધી સ્ટેશનરી ગણેશનગર સોમા તળાવ પાસે વિતરણ કરવામાં આવી જેમાં પ્રદેશ મહામંત્રી (ભારતીય જનતા પાર્ટી )શ્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી અનિલભાઈ જૈન હાજર રહ્યા હતા. ઉડાન ગ્રૂપ દ્વારા આવા અવાર નવાર સેવા પ્રવૃત્તિ ચાલતી હોય છે. ઉડાન ગ્રુપમાં પિન્કીબેન શાહ અને તેમની ટીમ વાર-તહેવારે સ્લમ વિસ્તાર એરિયામાં જઈને બી નાના છોકરાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ તહેવારને અનુલક્ષીને વસ્તુઓ આપતા હોય છે.

