

ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રાજયકક્ષાના સાંકૃતિક મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ જી સાથે ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ના કેબિનેટ પ્રધાન શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથા વિસનગર તાલુકાભાજપ મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ચૌધરી સાથે આજરોજ વિસનગરના કાંસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. કેન્દ્રની મુલાકાત દરમિયાન સ્થળનું વિસ્તૃત નિરિક્ષણ કરતા પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના લાભાર્થીઓ અને સારવાઅર્થે પધારેલ દર્દીઓ સાથે ચર્ચા કરી. માન. મંત્રી શ્રી દ્વારા ગરીબો માટેની ગુજરાતની દૃઢ આરોગ્ય વ્યવસ્થાને બિરદાવામાં આવી હતી.

