
રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં સરીસૃપ પ્રાણી પ્રેમી કૃણાલ પંડ્યા કે જે જિલ્લામાં કોઈ પણ સરીસૃપ પ્રાણીને પકડીને યોગ્ય જગ્યાએ છોડી મૂકવામાં આવે છે. મોડાસા તાલુકાના સુરપુર ગામના ચૌહાણ બાબસિંહ પુંજેસિંહ ના ખેતરમાં સાંજના સમયે અજગર સાપ જોવા મળતા દયા ફાઉન્ડેશનના વોલેન્ટિયર કુણાલ પંડયાને જાણ કરતાં આવીને અજગર સાપ વિશે માહિતી આપવામાં આવી કે આ સાપ બિલકુલ બિનઝેરી છે આને અંગ્રેજીમાં indian rock python તરીકે જણાય છે અને આ અજગર સાપની આશરે લંબાઈ 7 ફૂટની આસપાસ જાણવામાં આવી ત્યારબાદ અજગર સાપ તેના કુદરતી આવાસ (જંગલ) માં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો.

