

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના અધાગ પ્રયત્ન ના કારણે વડોદરા માં આવેલ ખાસવાડી સ્મશાન પાવર ગ્રીડ દ્વારા 7 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.જેના માટે આજરોજ ખાસવાડી સમશાન પર સૌ મહારાષ્ટ્રીયન સમાજના કાઉન્સિલરશ્રીઓ અને સમાજના અગ્રણી ઓને સાથે રાખી સમશાનના નવિનીકરણની સચોટ માહીતી આપી અને નવિનીકરણમાં દશપિંડની જગ્યા તેમજ અન્ય જરુરી સુવિધાઓ સમાજની અપેક્ષા મુજબ તેમજ તેથી પણ વધુ સારી રીતે થશે તેવી ખાતરી આપી છે તે બદલ સૌ મહારાષ્ટ્રીયન સમાજના પ્રતિનીધીઓ અને સમાજબાંધવો એ આભાર માનીયો હતો.
