

જામજોધપુર તાલુકાની તમામ તાલુકા શાળામાં પ્રવેશોત્સવ નિમિતે માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા અભ્યાસ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજથી જામજોધપુરમાં તાલુકામાં તમામ તાલુકા શાળામાં શરુ થતા પ્રવેશોત્સવ નિમિતે માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ કરતા ૧૬૦૦ વિદ્યાર્થીઓને તથા ધોરણ ૧ થી ૮ માં પ્રથમ નંબર આવનાર ૭૭૨ વિદ્યાર્થીઓને દફતર તથા અભ્યાસ માટેની કીટ જે અભ્યાસમાં ઉપયોગી બને તે માર્કેટિંગ યાર્ડ જામજોધપુરના ચેરમેનશ્રી બ્રિજરાજસિંહ જાડેજા તથા માર્કેટિંગ યાર્ડના સદસ્યશ્રી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા તથા માર્કેટિંગ યાર્ડના સદાશ્યશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી
