ડાંગ જિલ્લાના કાસવદહાડ, ઘોઘલી, અને બોરખેત ખાતે ૨૬ બાળકોને શાળા પ્રવેશ કરાવતા ભાજપા પ્રમુખ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જેવા આદિજાતિની વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા દુર્ગમ વિસ્તારમા, શિક્ષણથી સંસ્કારનુ સિંચન થઈ રહ્યુ છે તેમ, ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે જણાવ્યુ હતુ. ‘શાળા પ્રવેશોત્સવ’ના બીજા દિવસે રૂટ નંબર-૧૭ના ગામો કાસવદહાડ, ઘોઘલી, અને બોરખેત ખાતે ૧૦ કુમાર, અને ૧૬ કન્યા મળી કુલ–૨૬ બાળકોનુ નામાંકન કરાવતા શ્રી દશરથભાઈ પવારે, આદિવાસી વિસ્તારમા વધેલી શિક્ષણ સુવિધાઓનો ખ્યાલ આવ્યો હતો.
