







હર હંમેશા જન સેવામાં કાર્યરત રહેતા અને દરેક વિકાસ કાર્યમાં સહભાગી થતા આરતીબેન ભીલ ના શુભારંભ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે આ ટ્રસ્ટ દ્વારા 26 બાળકો ને દત્તક લેવામાં આવ્યા છે આ 26 બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવાની નેમ શુભારંભ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે આ બાળકો ને ગણવેશ અને શિક્ષણ માટે સકારાત્મક પ્રેરણારૂપી પ્રોસ્થાન પ્રદાન કરવામાં આવે છે. સૌના સાથ સૌના સહકાર થકી શુભારંભ ટ્રસ્ટ દ્વારા અેમરોડરી વર્ક હેન્ડ વર્ક મશીન લેસ પટ્ટી કટીંગ ને લગતા તમામ કામકાજ નિશુલ્ક શીખવવામાં આવે છે તેઓને આ અંગેનું કામકાજ પણ આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાની જાતે આત્મનિર્ભર બની શકે આ સેવાકીય કાર્યમાં ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચા ગાંધીનગર મહાનગર ના પ્રમુખ શ્રી આરતીબેન ભીલ શુભારંભ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ ઉચ્છલ ઉપાધ્યક્ષ કીર્તિબેન ઉપાધ્યક્ષ વ્યારા ના ઉમેશભાઈ મહામંત્રી શારદાબેન વગેરે આ સેવાકીય કાર્યમાં હાજરી આપી હતી.
