

સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સલગ્ન શ્રી સી.જે.પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીજ બી સી એ કોલેજ અને એન.એસ.એસ વિભાગ દ્વારા તા. 4-8-2022 ના રોજ હર ઘર ત્રિરંગા અભિયાન અને આઝાદી કા અમૃત મહોત્સવ માં વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આગામી ૧૫ ઓગસ્ટ ના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી અને વિસનગર માં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ના આગવા આયોજન સ્વરૂપે બી સી એ કોલેજ ના એન.એસ.એસ ના ૫૦ થી વધુ વિધ્યાર્થીઓ એ દેશભક્તિ ના ભાગ રૂપે ભારત દેશ નો રાષ્ટ્રધ્વજ બનાવી પોતાનો દેશપ્રેમ પ્રદશિત કર્યો હતો. આ દેશવ્યાપી અભિયાન ને સફળ બનાવવા કોલેજ ના એન.એસ.એસ કો-ઓર્ડિનેટર પ્રો. યોગેશ પટેલ એ વિધ્યાર્થીઓ ને પ્રેરિત કર્યા હતા. સાથે યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશ પટેલ સાહેબ અને કોલેજ ના પ્રિન્સિપાલ ડો અભિજીતસિંહ જાડેજા દ્વારા દરેક વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.

