પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદને કારણે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સ્થિતિ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારે વરસાદને કારણે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર ગરુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન ગરુ સાથે અનુક્રમે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય અને મદદની ખાતરી આપી છે. મારી સંવેદના ભારે વરસાદના કારણે પ્રભાવિત લોકો સાથે છે.”


