

રિપોર્ટ : ચિરાગ પાંડેય :
વડોદરા દેશભક્તોના કથનો દ્વારા યુવાઓમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન કરનાર એવા નિવૃત શિક્ષક અને આર.એસ.એસના સ્વયંસેવક, કે જેઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી જ્યારે ડભોઈ પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રચારક હતા, તેમની સાથે પણ કાર્યરત રહ્યા છે એવા શ્રી ઉપેન્દ્રભાઈ મહેતાજી ની મનીષાબેન વકીલે શુભેચ્છા મુલાકાત કરી ત્યારે તેમને તિરંગો અર્પિત કર્યો, પરંતુ તેઓએ તિરંગાને મંદિરમાં મુકી પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી જે પણ પુર્ણ કરી.૯૫ વર્ષની જૈફ વયે પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણામુર્તિને વંદન
