કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પેથાપુર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ‘મન કી બાત’ કાર્યક્રમ ભાજપા કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો.

મહાનગરના તમામ વોર્ડમાં બુથ સ્તરે ભાજપા દ્વારા પેજસમિતિના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું.

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ રામદેવપીરજી કોમ્યુનિટી હોલ, પેથાપુર, ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ‘મન કી બાત’ કાર્યક્રમ ભાજપા કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો. આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

‘મન કી બાત’ કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએએ સ્થાનિક વોર્ડના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી હતી.

મહાનગરના તમામ વોર્ડમાં બુથ સ્તરે ભાજપા દ્વારા પેજસમિતિના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું જેમાં મહાનગર ભાજપાના અગ્રણીશ્રીઓ નિર્ધારિત સ્થાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM