

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ત્રણના બુથ નંબર 135 અને પુનિત નગર સોસાયટીમા માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબની હાજરીમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો “મન કી બાત” નો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ “મન કી બાત ટીફીન કે સાથ” સૌ કાર્યકર્તા મિત્રો સાથે ટીફીન બેઠક કરવામાં આવી. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી સંદિપ પટેલ, વોર્ડ ના સભ્ય શ્રી અક્ષેશ પટેલ, શ્રીમતિ મનીષાબેન પટેલ, શ્રીમતિ હિરલબેન પટેલ,શહેર મહામંત્રી શ્રી જગ્નેશભાઈ અંડાદીયા, શહેર ઉપ પ્રમુખશ્રી જગદીશભાઈ શાહ, તેમજ યુવા મોરચાના હોદેદારોશ્રીઓ, શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ, કાર્યકર્તા મિત્રો અને વોર્ડ રહીશો હાજર રહ્યા
