

રિપોર્ટ : બીના પટેલ
ખંભાત તાલુકામાં કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય નઝારો એટલે કે ખંભાત-તારાપુર રોડ પર નગરા સ્થિત પૌરાણિક શ્રી નટેશ્વર મહાદેવના પટાંગણમાં રાજ્યસરકારના સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા નિર્મિત "પવિત્ર ઉપવન" નું ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં સભ્ય જયેશભાઇ ટંકર અને વિનોદભાઈ ઠાકોર, જી.પં પ્રતિનિધિ મનીષભાઈ પટેલ, તા.પં સભ્ય રાજુભાઇ પટેલ અને પ્રકાશભાઈ આચાર્ય, નગરા સરપંચ હંસાબેન સુનિલભાઈ પટેલ, ખ.વે સંઘ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

