મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આયુષ્ય યજ્ઞનું આયોજન

રિપોર્ટ :- મહેશ સિંધવ

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે ત્યારે તા. ૧૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે દીર્ઘાયુષ્ય માટે યજ્ઞનું આયોજન કરાયું છે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં, અનોખી એવી સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા, સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી, આર્યાવર્તની અસ્મિતાની ધજા પતાકા લહેરાવાઈ રહી છે. દરમિયાન તા. ૧૭ સપ્ટેમ્બરને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પ્રસંગ હોય જેથી કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે સનાતની વૈદિક પદ્ધતિથી આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે કાંતિભાઈના નિવાસસ્થાને તા. ૧૭ ના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે ઉમા ટાઉનશીપ ખાતે યજ્ઞ યોજાશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM