સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પરિવારોને વિનામૂલ્યે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી.

વિસનગર માટે ગૌરવની વાત છે કે યુએસએના પ્રખ્યાત સર્જન ડો.રાજ લલ્લા દ્વારા 50 થી વધુ દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. કેમ્પનું આયોજન ઓરલ એન્ડ મેકિસલોફેસિયલ સર્જરી વિભાગ, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નૂતન જનરલ હોસ્પિટલ, [NMCRC) અને રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા કરવામાં આવ્યું હતું. 27-29 સપ્ટેમ્બર, 2022 દરમિયાન વિસનગરમાં આયોજિત આ “પ્રથમ ફ્રી જનરલ પ્લાસ્ટિક સર્જરી અને ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ કેમ્પ” હતું.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશ પટેલે મહેમાનોનું સ્વાગત કરી સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે સર્જરી ના સફળ આયોજન બદલ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડૉ.અનિલ મનકી એચઓડી, ઓરલ અને મેક્સિોફેસિયઙ્ગ સર્જરી વિભાગ અને ડૉ.નીરવ પટેલની પ્રશંસા કરી.

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.ડી.જે.શાહએ જણાવ્યું હતું કે ડેન્ટલ કોલેજના ડીન ડો.વિલાસ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે અદ્ભુત કામગીરી કરી છે. તેમણે કાચું કે દર વર્ષે આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે જેથી ઉત્તર ગુજરાતના ગરીબ દર્દીઓ લાભ મેળવી શકે.

પ્રથમ દિવસે 150 થી વધુ OPD દર્દીઓએ ભારતી વિદ્યાપીઠ ડેન્ટલ કોલેજ સાંગલીના ડૉ.રાજ લુલ્લા, ડૉ, લલિતા લલ્લા અને ડૉ.અમિત બસન્નાવરના નિષ્ણાત અભિપ્રાય લીધા હતા. સ્ક્રીનીંગ પછી, દર્દીઓને લોહીની તપાસ અને નૂતન જનરલ હોસ્પિટલના બાળરોગ અને એનેસ્થેટીસ્ટના અભિપ્રાય માટે મોકલવામાં આવ્યા હતા. ડો.હિમાંશુ જોષી, ડીન, મેડિકલ કોલેજ, ડો. પંકજ નિમ્બાલકર, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ડૉ. સુનિતા મનકી ડેપ્યુટી મેળિ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ મેડિંગ નૂતન આરા હોસ્પિટલ ની કુશળ આગેવાની હેઠળની ટીમે શિબિરનું સફળ સંચાલન કર્યું અને તમામ એનેસ્થેસિયા અને વોર્ડની દવાઓ વિનામૂલ્યે આપીને મહાન સહયોગ આપ્યો હતો.

આ તમામ દર્દીમાંથી 50 દર્દીઓને શસ્ત્રક્રિયાની જરૂર હતી, જેમાં ક્લેફ્ટ લિપ અને પેલેટ રિપેર, નાકની ખોડ રિપેર, સ્કાર રિવિઝન, હેમેરીયોમાં એક્સિઝન નેવી, પાંડુરોગ, બ્રેિશન અને તમામ પ્રકારના ડાધ માટે સ્ટીરોઇડ ઇન્જેક્શન જેવી સર્જિકલ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ડોકટરોએ શસ્ત્રક્રિયા પછીના રાઉન્ડ લીધા અને તમામ દર્દીઓને ઓપરેશન પછીની વિગતવાર સૂચનાઓ આપી. પોસ્ટ ઓપરેશન ની તમામ દવાઓ રોટરી ના ડો. હિતેશ રાવલ અને રોટરી ક્લબ ઓફ વિસનગરની ટીમ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં 43 વર્ષથી શ્રી પ્રકાશ રાઠીજી અને શ્રી કલ્યાણ વાધમોર ઔગાબાદ થી નિયમિતપણે આ શિબિરોનું આયોજન કરી રહ્યા છે, તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ અને એનેસ્થેટિક, ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઉત્સાહી ટીમની પ્રશંસા કરી. તેઓએ અમારી ટીમને કાર્ય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં પણ મદદ કરી. ડો. ભાવના મેડમ અને ડો. ભરત શાહની આગેવાની હેઠળની એનેસ્થેટીસ્ટની ટીમે ઉત્તમ કામ કર્યું અને તમામ દર્દીઓને ખૂબ સારી રીતે મેનેજ કર્યાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM