
અધર્મ પર ધર્મના વિજયના પાવન પર્વ એવા વિજયા દશમી નિમિત્તે માનનીય કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તથા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજન કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી મધુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
