
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “આજે, પરાક્રમ દિવસ પર, હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપું છું અને ભારતના ઈતિહાસમાં તેમના અપ્રતિમ યોગદાનને યાદ કરું છું. તેમને વસાહતી શાસન સામેના તેમના ઉગ્ર પ્રતિકાર માટે યાદ કરવામાં આવશે. તેમના વિચારોથી ખૂબજ પ્રભાવિત થઈને, આપણે તેમના ભારત વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
