



કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
સુરત ખાતે સુરત-સચીન-નવસારી રોડનું ખાતમુહૂર્ત કર્યું. સુરત, સચીન અને નવસારી વચ્ચેનાં વાહન વ્યવહારને વધુ સરળ અને મજબૂત બનાવતા આ રોડનું કાર્ય પૂર્ણ થયા બાદ વાહન વ્યવહારમાં સુગમતા વધશે. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત શહેર મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી ઉપસ્થિત રહ્યા હતા.
