

ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા જિલ્લાને વેગ વંતો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર અને આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી અનિરુધ્ધસિંહ ગાયકવાડ દ્વારા આજ રોજ મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલ ના બાંધકામનું રૂબરૂ મુલાકાત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જિલ્લામાં ઝડપથી સિવિલ હોસ્પિટલ કાર્યરત થાય તે માટે સૂચન પણ કર્યું હતું.
