રિપોર્ટ ,મયુર પટેલ


મુકેશભાઈ વૈદ પોતાના માર્ગદર્શન માં ઘર નું રસોડું એ જ ઔષધ નું કેન્દ્ર સહિત અલગ અલગ વનસ્પતિનો પરિચય કરાવી તેમની ઉપયોગીતા વિશેનો માર્ગદર્શન આપેલ,,
ઘરનું રસોડું એ જ આપણું ઔષધ હતું પહેલાના વખતમાં વનસ્પતિ થી અનેક રોગો મટાડી શકાય છે ત્યારે આ ઔષધ આપણા ભારતીય સંસ્કૃતિનો આપણી ઉપલબ્ધિ હતી વનસ્પતિનો પરિચય કરાવતા મુકેશભાઈ વૈધ દ્વારા છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના દરેક સ્કૂલોમાં બાળકો માટે ઔષધ પરિચય રાખીને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કતારગામ માં આવેલ પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા માં બાળકોને વનસ્પતિના અલગ અલગ વૃક્ષો લાવીને અને ઔષધ નો પરિચય થાય તે દિશામાં ખુબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, દરેક રોગ નો ઘર ગથ્થુ ઉપચાર જે દિશામાં મુકેશભાઈ વૈદે બાળકોને સારું એવું માર્ગદર્શન આપેલ
કાર્યક્રમનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્યથી શાળાના આચાર્ય દર્શના બેન શાહ દ્વારા થયો હતો
કાર્યક્રમ દરમિયાન બાળકોએ મોટી સંખ્યામાં વનસ્પતિ પરિચય મેળા નો લાભ લીધો હતો
