
કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
કૈ. શ્રીમંત સરકાર સયાજીરાવ ત્રીજા ગાયકવાડ સેના ખાસ ખેલ સમશેર બહાદુર રાજ્ય વડોદરા, જન્મ તા, 11 માર્ચ 1863, સ્વર્ગવાસ તા, 6 એપ્રિલ 1939, વડોદરા રાજ્યની પ્રજા પ્રત્યે મહારાજા સાહેબ નો પિતા તુલ્ય પ્રેમ તથા ખાસ કરીને નવસારી પ્રાંતના ધાણકારાણીપરજ વિગેરે પછાત કોમના લોકો માટે તેઓ શ્રી એ સ્થાપેલા વસ્તી ગૃહો અને અમલમાં મુકેલ ખાસ કાયદાઓ કે જેથી કરીને લોકોની માનસિક ઉન્નતિ થઈ તેમણે સંસ્કારી જીવનનું ભાન થવા પામ્યું તે શ્રીમંત ની વિશ્વ બંધુત્વની લાગણીને માન આપવા તથા રાજા પ્રજાના ભવિષ્યના ઘટકો આપના ઉપકારના દર્શન લઈ શકે એ હેતુથી કૈલાશ વાસી મહારાજા સાહેબની આ પ્રતિમા વ્યારા ના જમીનદાર શેઠ કેકોબાદ રતનજી દાબુ એ ભક્તિ ભાવ સાથે અર્પણ કરે છે.
આ પ્રતિમાની ઉદ્ઘઘાટન વિધિ નેક નામદાર શ્રી વી, ટી, કૃષ્ણામાચારી વડોદરાના દિવાન સાહેબ એ ઓ શ્રી ના શુભ હસ્તે સવંત 2000 તારીખ 6 એપ્રિલ 1944 વાર શુક્રવારના રોજ થયો છે. વ્યારા નગરપાલિકાના સુંદર કાર્યથી વ્યારા નગરના લોકોમાં ખુશીની લાગણી ફેલાય છે.
