
જામનગર: ( ભરત ભોગાયતા)
“ચંદ્રયાન-3ના ઐતિહાસિક મૂન લેન્ડિંગની નોંધપાત્ર સફળતા બદલ અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ અને ઈસરોની ઉત્કૃષ્ટ ટીમ તથા સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવીએ છીએ. આ અવિશ્વસનીય સિદ્ધિ ન કેવળ વૈજ્ઞાનિક રિસર્ચ અને સંશોધન માટે ભારતના સતત સમર્પણને જ દર્શાવે છે પરંતુ અવકાશ સંશોધન માટે વૈશ્વિક ક્ષેત્રે આપણી સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ એ સામેલ દરેક વ્યક્તિની પ્રતિબદ્ધતા, બુદ્ધિમત્તા અને અવિરત કાર્યને શ્રેય આપે છે. આ સિદ્ધિ એ યાદ કરાવે છે કે જો આપણી પાસે કોઈ કામને સાકાર કરવાની ઇચ્છા અને સર્જનાત્મકતા હોય તો કંઈપણ શક્ય છે. સમગ્ર દેશ અને ઈસરો આ નોંધપાત્ર સિદ્ધિ માટે પ્રશંસાને પાત્ર છે, જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વધારે છે.” એમ નયારા એનર્જીના ચેરમેન અને હેડ ઓફ રિફાઇનરી શ્રી પ્રસાદ કે. પાનીકરે જણાવ્યું હતું.
