
માધાપર નિવાસી અને ઝુજારુ નેતા એવા ગોવિંદભાઈ ખોખાણીની આકસ્મિક વિદાયથી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર ઘેરા શોકની લાગણી વ્યકત કરે છે . સ્વ . ગોવિંદભાઈ ખોખાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , ગોવિંદભાઈ એ સાચા અર્થમાં અદના સમાજ સેવક હતા . વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેમની સાથે સહભાગી બનીને કામ કરવાની પળો આજે પણ અવિસ્મરણીય છે . ગોવિંદભાઈની વિદાયથી સમાજને એક સમર્થ નેતા ગુમાવ્યાની ખોટ પડી છે જે કયારેય પુરી શકાય એમ નથી . આ દુઃખની ઘડીએ મારા સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર તેમના પરિવારજનોની પડખે છે કમલમ દૈનિક,અજય ખત્રી- કચ્છ
