






ઇન્ટરનેશનલ મીલેટ યર અંતર્ગત તાલુકા કક્ષાના ‘કિસાન મેળા’નું સિદ્ધપુર ખાતે માન. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો. કૃષિ મેળા દ્વારા કેમ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવવું અને ખાતરો તેમજ રસાયણ સિવાયની સનાતન સંસ્કૃતિની જે જૂની પુરાણી પદ્ધતિઓ છે તે સજીવ ખેતી દ્વારા વધુ ઉત્પાદન અને તંદુરસ્ત લોકો રહે રસાયણ મુક્ત લોકો અનાજ તથા શાકભાજી વગેરે ઉગાડીને ખેડૂતો ની આવક વધે અને સમૃદ્ધ થાય તે દિશામાં સરકાર નો વિનમ્ર પ્રયાસ.
આ પ્રસંગે નંદાજી ઠાકોર – પ્રદેશ ઉપાધ્યક્ષ, ગીરીબેન ઠાકોર – તાલુકા પંચાયત પ્રમુખ, ભાનુમતીબેન મકવાણા – પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર- સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એપીએમસી, ડી એમ મેણાત – નાયબ ખેતી નિયામક (તાલીમ), મનીષભાઈ પ્રજાપતિ – મંત્રી જીલ્લા બીજેપી, જગદીશ પટેલ – ઉપપ્રમુખ તાલુકા પંચાયત, દશરથભાઈ પટેલ – મહામંત્રી, જયેશભાઈ – કિસાન મોરચા પ્રમુખ, ડોક્ટર રૂપેશકુમાર – કૃષિ વૈજ્ઞાનિક, ત્રિવેદીજી – મામલતદાર, સંગઠન પદાધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો તથા નાગરિકોએ ભાગ લીધો.
