

રિપોર્ટ : બીના પટેલ
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ‘મન કી બાત’ નો કાર્યક્રમ આંકલાવ વિધાનસભાના મુજકુંવા ગામે બુથ નંબર 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, અમૂલ ડેરીના ડિરેક્ટર અને આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલસિંહ પઢિયાર, આંકલાવ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, ગણપતસિંહ પઢિયાર, જિલ્લા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ લક્ષમણસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો.
