

રિપોર્ટ : બીના પટેલ
આંકલાવ તાલુકાના મૂજકૂવા મુકામે રમણભાઈ નાનાભાઇ પઢિયાર ના ઘરે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. સાથે આ વિસ્તારમાં સી.સી રસ્તા તથા કાશીપુરા મુજપરા ની માતાજી વિસ્તાર અને રામાભાઈ શનાભાઈ પઢિયાર વિસ્તારનો સી.સી રસ્તાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, અમુલ ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયાર, જિલ્લા ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ પઢિયાર, મહામંત્રીશ્રી અલ્પેશભાઇ પટેલ તથા ગણપતસિંહ પઢિયાર, પૂર્વ પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ જાદવ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી ડાહ્યાભાઈ પઢિયાર, દુધ મંડળી ચેરમેનશ્રી મનુભાઈ પઢિયાર, શ્રી દિલીપભાઈ પઢિયાર તથા કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
