
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવનાઓ પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં સહયોગ માટે એરો ઇન્ડિયા એક અદ્વિતીય મંચ છે
.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવના પ્રદાન કરે છે. એરો ઇન્ડિયા આ ક્ષેત્રોમાં સહયોગ માટે એક અદ્વિતીય મંચ છે. ભારત સરકાર આ ક્ષેત્રમાં ભવિષ્યલક્ષી સુધારા લાવી છે, જે આપણી આત્મનિર્ભર બનવાની શોધમાં ગતિ આપશે.”


