આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.
પૂજય બાપુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ, ચન્દ્રશેખર આઝાદ, બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન જેવા મહાન ક્રાંતિ વીર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચિત્તુરના રાણી ચેન્નમ્મા, આસામના માતંગી હાજરા. દેશના પ્રથમ પ્રધાનમંત્રી નહેરૂજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર વગેરે તમામ મહાપુરૂષોનું રાષ્ટ્ર ઋણી છે.
કોરોના વૈશ્વિક મહામારી, આ મહામારીમાં આપણાં ડોકટરો, આપણી નર્સો, આપણો પેરામેડિકલ સ્ટાફ, આપણાં સફાઈ કર્મચારીઓ, રસી બનાવવામાં જોડાયેલા વૈજ્ઞાનિક સહિત તમામ વંદનના અધિકારી છે.
ઓલિમ્પિકમાં ભારતની યુવા પેઢીએ ભારતનું નામ રોશન કર્યુ છે. એવા આપણા એથલિટ્સ, આપણા ખેલાડી આપણી વચ્ચે છે, પરંતુ તેમણે ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.
હવે પછી દર વર્ષે 14મી ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે. વિભાજનની વ્યથા સહન કરનારા લોકોને ભારતવાસીઓ તરફથી આદરપૂર્વક શ્રધ્ધાંજલિ છે.
રસીકરણકાર્યક્રમ– આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂકયા છે.
મહામારીના સમયે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ આપીને તે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રાખ્યો છે. જે દુનિયા માટે એક અચરજ પણ છે અને ચર્ચાનો વિષય પણ છે.
મૃતકોતરફસંવેદના – તમામ પ્રયાસો છતાં પણ કેટલા બધાં લોકોને આપણે બચાવી શકયા નથી. કેટલા બધાં બાળકોના માથે હાથ ફેરવનાર કોઈ ચાલ્યા ગયા છે, તેમને વહાલ કરનાર, તેમની જીદ પૂરી કરનાર ચાલ્યા ગયા છે. આ અસહનીય પીડા, આ તકલીફ હંમેશાં સાથે રહેવાની છે.
75માવર્ષેભારત– દેશની આઝાદીનાં 75 વર્ષ- આ અમૃત કાળ છે. આ અમૃત કાળમાં આપણા સંકલ્પોની સિધ્ધિ, આપણને આઝાદીનાં 100 વર્ષ સુધી લઈ જશે. અમૃત કાળનું લક્ષ્ય છે આપણાં એક એવા ભારતનું નિર્માણ કે જયાં દુનિયાની દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય.
સૌનોપ્રયાસ– અમૃત કાળ 25 વર્ષનો છે, પણ આપણે આપણાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે લાંબી પ્રતિક્ષા પણ કરવી નથી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ આપણાં તમામ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૌનોવિકાસ– અગાઉની તુલનામાં આપણે ઘણી ઝડપથી ઘણાં આગળ વધ્યા છીએ, પરંતુ આપણે સંતૃપ્તિ સુધી પહોંચવાનુ છે, પૂર્ણતા સુધી જવાનુ છે. સો ટકા ગામોમાં સડકો હોય, સો ટકા પરિવારો પાસે બેંકનુ ખાતુ હોય, સો ટકા લાભાર્થીઓ પાસે આયુષ્યમાન ભારતનું કાર્ડ હોય. સો ટકા પાત્ર વ્યક્તિઓ પાસે ઉજ્જવલા યોજના અને ગેસનું જોડાણ પણ હોય.
સ્વનિધિયોજના– પાટા અને ફૂટપાથ ઉપર બેસીને સામાન વેચનારા, લારી ચલાવનારા સાથીઓને સ્વનિધિ યોજનાના માધ્યમથી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહયા છે.
જલજીવનમિશન– મને આનંદ છે કે જલ જીવન મિશનનાં માત્ર બે વર્ષમાં સાડાચાર કરોડથી વધુ પરિવારોને નળથી પાણી મળવાનું શરૂ થઈ ગયું છે.
કુપોષણનીસમસ્યા-ગરીબ બાળકોમાં કુપોષણ અને આવશ્યક પૌષ્ટિક પદાર્થોની ઊણપને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેની અલગ અલગ યોજનાઓ મારફતે જે ચોખા ગરીબોને આપે છે તેમાં વિટામીનનો ઉમેરો કરશે.
અનામતનીનવીવ્યવસ્થા– દલિતો, પછાતો, આદિવાસીઓ, સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હજુ હમણાં જ તબીબી શિક્ષણના ક્ષેત્રમાં અખિલ ભારતીય ક્વોટામાં ઓબીસી વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી સાથે જોડાયેલી યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે.
ઉત્તર–પૂર્વ-આજે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલની પણ છે અને માળખાકીય સુવિધાઓની પણ છે. ખૂબ ઝડપથી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીઓને રેલવે સેવા સાથે જોડવાનુ કામ પૂરૂ થવાનુ છે.
એકટઈસ્ટનીતિ હેઠળ આજે ઉત્તર પૂર્વને બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે. વિતેલા વર્ષોમાં જે પ્રયાસ થયા છે, તેના કારણે હવે ઉત્તર પૂર્વમાં સ્થિર શાંતિ માટે, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે.
સામર્થ્યનેયોગ્યઅવસર– તમામ લોકોના સામર્થ્યને યોગ્ય તક મળી રહે તે જ લોકતંત્રની મૂળ ભાવના છે. જમ્મુ કાશ્મીરમાં ડિલિમીટીશન કમિશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
લદાખ– પણ વિકાસની પોતાની અપાર સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ આધુનિક માળખાકિય સુવિધાઓનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી, લદાખને ઉચ્ચ શિક્ષણનું, હાયર એજ્યુકેશનનું કેન્દ્ર બનાવી રહી છે.
ડીપઓશનમિશન– સમુદ્રની અપાર સંભાવનાઓને તપાસવી તે આપણી મહત્વાકાંક્ષાનું પરિણામ છે. જે ખનિજ સંપત્તિ સમુદ્રમાં છૂપાયેલી પડી છે, જે થર્મલ ઊર્જા સમુદ્રના પાણીમાં છે તે દેશના વિકાસને એક નવી ઉંચાઈ આપી શકે છે.
આકાંક્ષીજિલ્લાઓ – દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લા, એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટસમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, સડક, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને અગ્રતા આપવામાં આવી રહી છે તેમાંથી અનેક જિલ્લા આપણાં આદિવાસી વિસ્તારોમાં આવેલા છે.
સહકારવાદ– અર્થ જગતમાં ભારત સહકારવાદ ઉપર ભાર મૂકી રહ્યું છે. સહકારવાદ દેશમાં પાયાના સ્તરે અર્થતંત્ર માટે એક મહત્વનું ક્ષેત્ર છે. એક સહકારી સંસ્થા છે. સહકારી ક્ષેત્ર સામુહિક રીતે ચાલવાની મનઃપ્રવૃત્તિ છે. તેનું સશક્તીકરણ થાય તે માટે અમે એક અલગ મંત્રાલય બનાવીને તે દિશામાં કદમ ઉઠાવ્યા છે.
ગ્રામીણભારત– આજે આપણાં ગામડાં ઝડપથી પરિવર્તન થતા દેખાઈ રહ્યા છે. વિતેલા થોડાંક વર્ષોમાં ગામડાં સુધી સડકો અને વિજળી જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. હવે ગામડાઓમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક, ડેટાની તાકાત પણ પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામડાંમાં પણ ડીજીટલ ઉદ્યોગસાહસિક તૈયાર થઈ રહ્યા છે.
વોકલફોરલોકલ– સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. આજે જ્યારે દેશ વોકલ ફોર લોકલનો મંત્ર લઈને આગળ વધી રહ્યો છે ત્યારે આ ડીજીટલ પ્લેટફોર્મ મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્પાદનોને દેશના દૂર દૂરના વિસ્તારોમાં અને વિદેશમાં પણ લોકો સાથે જોડશે અને તેનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત થશે.
કૃષિક્ષેત્રમાંવૈજ્ઞાનિકોનીક્ષમતા– દેશના દરેક ક્ષેત્રમાં આપણાં દેશના વૈજ્ઞાનિકો ખૂબ જ સૂઝ સાથે કામ કરી રહ્યા છે. આપણે આપણાં કૃષિ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ અને તેમણે સૂચવેલા ઉપાયોને સામેલ કરવા પડશે. તેનાથી દેશને ખાદ્ય સુરક્ષા આપવાની સાથે સાથે ફળ, શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધારવામાં પણ ખૂબ મોટી મદદ મળશે અને આપણે વિશ્વ સુધી પહોંચવા માટે આપણી જાતને મજબૂતી સાથે આગળ ધપાવીશું.
કિસાન– છોટા કિસાન, બને દેશ કી શાન. તે આપણું સપનું છે. આવનારા દેશમાં આપણે દેશના ખેડૂતોની સામુહિક શક્તિને વધુ આગળ ધપાવવાની છે. તેમને નવી સુવિધાઓ આપવી પડશે.
દેશના 80 ટકાથી વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. અગાઉ દેશમાં જે નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું તે રહી ગયું છે. હવે આ નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
કિસાનરેલ– આજે દેશના 70 થી વધુ રેલવે રૂટ પર કિસાન રેલ ચાલી રહી છે. નાના ખેડૂતો કિસાન રેલવે મારફતે પોતાના ઉત્પાદનોનું પરિવહન ઓછા ખર્ચથી દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી શકશે.
સ્વામિત્વયોજના– ગામડાંમાં જમીનોના કાગળ પર ઘણી પેઢીઓથી કોઈ કામ થયું નથી. પોતે જમીનના માલિક હોવા છતાં આ જમીન પર તેમને બેંકો પાસેથી કોઈ ધિરાણ મળતું નથી. આવી સ્થિતિને બદલવાનું કામ આજે સ્વામિત્વ યોજના કરી રહી છે. ગામડે ગામડે, દરેક ઘરની, દરેક જમીનનું ડ્રોન મારફતે મેપીંગ થઈ રહ્યું છે. આના કારણે ગામડાંની જમીન સાથે જોડાયેલા વિવાદ તો સમાપ્ત થઈ જ જશે, પણ સાથે સાથે ગામડાંના લોકોને બેંકમાંથી આસાનીથી ધિરાણ વ્યવસ્થા પણ કાયમી ઉપલબ્ધ થશે.
નવીપેઢીનીમાળખાકીયસુવિધાઓ– આપણે સાથે મળીને નવી પેઢીની માળખાકીય સુવિધાઓ માટે કામ કરવાનું રહેશે. વિશ્વસ્તરનું ઉત્પાદન કરવા માટે આપણે સાથે મળીને અદ્યતન ઈનોવેશન માટે, નવા યુગની ટેકનોલોજી માટે કામ કરવાનું રહેશે.
બિનજરૂરીકાયદાઓનીચુંગાલમાંથીમુક્તિ– અનેક ક્ષેત્રોમાં ઘણાં બધા નિયમનો આપણે સમાપ્ત કરી દીધા છે. બિનજરૂરી કાયદાઓની ચુંગાલમાંથી મુક્તિ આપીને જીવન જીવવામાં આસાની સાથે બિઝનેસ કરવામાં પણ આસાની એ આ બંને માટે ખૂબ જ જરૂરી છે. આપણાં દેશના ઉદ્યોગો અને વેપાર આજે આ પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે.
રાષ્ટ્રીયસંકલ્પ – દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેમાતરમ ટ્રેન દેશના દરેક ખૂણા સાથે પોતાને જોડશે. આજે જે ગતિ સાથે દેશમાં નવા એરપોર્ટસનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર દૂરના વિસ્તારો સાથે જોડી રહી છે તે એક અભૂતપૂર્વ બાબત છે.
પ્રધાનમંત્રીગતિશક્તિ– નેશનલમાસ્ટરપ્લાનભારતને આધુનિક માળખાકીય સુવિધાઓની સાથે સાથે માળખાકીય નિર્માણમાં પણ સમગ્રલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. આવનારા થોડાંક દિવસમાં ભારત પ્રધાનમંત્રી ગતિશક્તિ- નેશનલ માસ્ટર પ્લાન શરૂ થઈ રહ્યો છે.
મેન્યુફેક્ચરીંગઅનેનિકાસ– વિકાસના માર્ગે આગળ ધપવાની સાથે ભારતે પોતાની મેન્યુફેક્ચરીંગ અને નિકાસ બંનેમાં વધારો કરવો પડશે. તમે જોયું કે હાલમાં થોડાંક દિવસ પહેલાં જ ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતાર્યું છે.
સંરક્ષણઉત્પાદન– ભારત આજે પોતાના લડાકુ વિમાન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે, ગગનયાન પણ બનાવી રહ્યું છે.
પ્રોડક્ટઅનેપ્રતિષ્ઠા– તમારી દરેક પ્રોડક્ટ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બાબત દેશના તમામ ઉત્પાદકોએ પણ સમજવી પડશે. તમે જે ઉત્પાદન બહાર મોકલો છો તે તમારી કંપનીમાં બનાવેલી માત્ર પ્રોડક્ટ નથી હોતી, પણ સાથે સાથે તે ભારતની ઓળખ સાથે જોડાયેલી હોય છે. પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય છે.
સ્ટાર્ટઅપ્સ– આપણે જોયું છે કે કોરોના કાળમાં જ હજારો નવા સ્ટાર્ટઅપ્સ બન્યા છે અને સફળતા સાથે કામ કરી રહ્યા છે. ગઈકાલના સ્ટાર્ટઅપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમનું બજાર મૂલ્ય હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે.
સુધારા– લાગુ કરવા માટે સારૂં અને સ્માર્ટ શાસન જરૂરી છે. આજે દુનિયા એ બાબતની સાક્ષી છે કે ભારત પોતાને ત્યાં શાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે.
નિયમો– પ્રક્રિયાઓનીસમીક્ષા– હું આજે અનુરોધ કરૂં છું કે કેન્દ્ર હોય કે રાજ્ય, તમામ વિભાગોમાં, તમામ સરકારી કચેરીઓમાં પોતાને ત્યાં નિયમો અને પ્રક્રિયાઓની સમિક્ષા કરવાનું અભિયાન ચલાવવામાં આવે. એવો દરેક નિયમ કે એવી દરેક પ્રક્રિયા કે જે દેશના લોકોની સામે અવરોધ બનીને, બોજ બનીને ઉભી રહી છે તેને આપણે દૂર કરવી જ પડશે.
નવી ‘રાષ્ટ્રીયશિક્ષણનીતિ’ – આજે દેશની પાસે 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવી નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશનલ બનશે તો તેના સામર્થ્ય સાથે ન્યાય થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈનું હું સાધન માનું છું.
ગરીબીનાવિરોધનીલડાઈઅનેમાતૃભાષા– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગરીબી વિરોધિ લડાઈનું સાધન ભાષા છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગરીબી સામેની લડાઈ લડવામાં એક મોટું શસ્ત્ર બનવા તરફ આગળ ધપી રહી છે. ગરીબી સામેનો જંગ જીતવાનો આધાર પણ માતૃભાષાનું શિક્ષણ છે, માતૃભાષાની પ્રતિષ્ઠા છે, માતૃભાષાનું મહાત્મ્ય છે.
શિક્ષણનીતિઅનેરમતો– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વધુ એક વિશેષ બાબત છે. તેમાં રમતોને ઈતર પ્રવૃત્તિના બદલે મુખ્ય પ્રવાહમાં અભ્યાસનો હિસ્સો બનાવવામાં આવી રહ્યો છે. જીવનને આગળ ધપાવવા માટે જે પણ અસરકારક માધ્યમ છે તેમાંની એક રમતો પણ છે.
ભારતનીદીકરીઓ– દેશ માટે એ ગૌરવની વાત છે કે શિક્ષણ હોય કે રમતો, બોર્ડના પરિણામ હોય કે ઓલિમ્પિકના મેડલ. આપણી દીકરીઓ આજે અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે આતુર છે.
દીકરીઓમાટેસૈનિકસ્કૂલ– આજે હું એક આનંદની બાબત દેશવાસીઓને જણાવવા માંગુ છું કે બે- અઢી વર્ષ પહેલાં મિઝોરમની સૈનિક સ્કૂલમાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આજે સરકાર એ નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે ખૂલ્લી મૂકવામાં આવશે.
ઊર્જાઆત્મનિર્ભરતા– ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર ભારત બનવા માટે, ભારતે ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવુ અનિવાર્ય છે અને એટલા માટે આજે ભારતે એક એવો સંકલ્પ લેવાનો રહેશે કે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તે પહેલાં ભારતને ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનાવીશું.
ગ્રીનહાઈડ્રોજનક્ષેત્ર– ભારત આજે જે પણ કામગીરી કરી રહ્યું છે તેમાં આ સૌથી મોટું લક્ષ્ય છે, જે ભારતને હરણફાળ આપવાનું છે. આ ક્ષેત્ર છે ગ્રીન હાઈડ્રોજનનું ક્ષેત્ર. હું આજે તિરંગાની સાક્ષીમાં નેશનલ હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી રહ્યો છું.
વિલંબીતસમસ્યાઓનુંસમાધાન– 21મી સદીનું આજનું ભારત મોટા લક્ષ્ય ઘડવામાં અને તેને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે ભારત એ વિષયોને પણ હલ કરી રહ્યું છે કે જેનો ઉકેલવા લાવવા માટે દાયદાઓથી, સદીઓથી પ્રતિક્ષા થઈ રહી હતી.
કલમ-370 બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને કરવેરાના જાળામાંથી મુક્તિ આપનારી વ્યવસ્થા- જીએસટી હોય, આપણાં ફૌજી સાથીઓ માટે વન રેન્ક, વન પેન્શન હોય કે પછી રામ જન્મભૂમિ કેસનું શાંતિપૂર્ણ સમાધાન હોય. આ બધી બાબતો આપણે વિતેલા થોડાંક વર્ષો દરમ્યાન સાચી પડતી જોઈ છે.
ત્રિપૂરામાં દાયકાઓ પછી બ્રૂ રિયાંગ સમજૂતિ થઈ તે બાબત હોય, ઓબીસી કમિશનને વૈધાનિક દરજ્જો આપવાની બાબત હોય કે પછી જમ્મુ-કાશ્મીરમાં આઝાદી પછી પ્રથમ વખત બીબીસી અને ડીડીસી ચૂંટણીઓ હોય, ભારત પોતાની સંકલ્પ શક્તિ સતત સિધ્ધ કરી રહ્યું છે.
ભારતબદલરહાહૈ – આજે કોરોનાના આ સમયમાં ભારતમાં વિક્રમજનક વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને ભારતે દેશના દુશ્મનોને નવા ભારતના સામર્થ્યનો સંદેશ પણ આપ્યો છે. ભારત બદલાઈ રહ્યું છે, ભારત આકરામાં આકરા નિર્ણયો પણ લઈ શકે છે અને આકરામાં આકરા નિર્ણયો લેવામાં પણ ભારત ખચકાતુ નથી, રોકાતું નથી.
આતંકવાદઅનેવિસ્તારવાદનાપડકારો– આજે દુનિયા ભારતને એક નવી નજરથી જોઈ રહી છે. આ દ્રષ્ટિના બે મહત્વના પાસાં છે- એક છે આતંકવાદ અને બીજો છે વિસ્તારવાદ. ભારત આ બંને પડકારો સામે લડી રહ્યું છે અને ઉત્તમ રીતે ખૂબ જ હિંમત સાથે જવાબ પણ આપી રહ્યું છે.
અરબિંદોજન્મજયંતિ– આજે દેશના મહાન વિચારક શ્રી અરબિંદોની જન્મ જયંતિ પણ છે. વર્ષ 2022માં તેમની 150મી જન્મ જયંતિ છે. તેઓ કહેતા હતા કે આપણે એટલા સામર્થ્યવાન બનવું પડશે કે જેટલા આપણે અગાઉ ન હતા. આપણે આપણી ટેવો બદલવી પડશે. એક નવા હૃદય સાથે પોતાની જાતને ફરીથી જાગૃત કરવાની રહેશે.
જનસહયોગ– જે સંકલ્પો માટે આજે દેશે બીડું ઉઠાવ્યું તે પૂરાં કરવા માટે દેશની દરેકે દરેક વ્યક્તિએ તેની સાથે જોડાવું પડશે. દરેક દેશવાસીએ તેને પોતાનો સંકલ્પ માનવાનો રહેશે. દેશમાં જળ સંરક્ષણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણું એ કર્તવ્ય છે કે આપણે પાણીની બચત કરવાની આદત સાથે જોડાવું પડશે.
કેનડુજનરેશન– હું ભવિષ્યદ્રષ્ટા નથી. હું કર્મના ફળ પર વિશ્વાસ રાખું છું. મારો વિશ્વાસ દેશના યુવકો ઉપર છે. મારો વિશ્વાસ દેશની બહેન- દીકરીઓ, દેશના ખેડૂતો, દેશના પ્રોફેશનલ્સ ઉપર છે. આ એક કેન ડુ જનરેશન છે અને તે દરેક લક્ષ્ય હાંસલ કરે છે.
વિઝન 2047- મને વિશ્વાસ છે કે જ્યારે વર્ષ 2047માં, આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ, તે સમયે જે કોઈપણ પ્રધાનમંત્રી હશે તે પોતાના ભાષણમાં જે સિધ્ધિઓનું વર્ણન કરશે તે સિધ્ધિઓ એવી સિધ્ધિઓ હશે કે જેનો આજે સંકલ્પ કરવામાં આવી રહ્યો છે… આ મારો વિશ્વાસ છે.
રાષ્ટ્રપ્રથમ, હંમેશાપ્રથમ– 21મી સદીના ભારતના સપનાં અને આકાંક્ષાઓને પૂરી કરતા કોઈપણ અવરોધ આપણને રોકી શકે તેમ નથી. આપણી તાકાત આપણું સંગઠન છે. આપણી પ્રાણશક્તિ એ રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમની ભાવના છે.