ભારતીય જનતા પાર્ટીના કોરોડો કાર્યકર્તાઓના પ્રેરણાશ્રોત, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રેરણા, પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા એવા શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ ‘સમર્પણદિન’ નિમિત્તે વિસનગર શહેર તથા તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિસનગર ધારાસભ્ય કાર્યાલય ખાતે શ્રધ્ધાંજલિ સહપુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિસનગર શહેર તેમજ તાલુકાના વિવિધ સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને શ્રધ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પી હતી.


