વલસાડ માં યોજાયેલા મહેસુલ મેળામાં આવેલા ગુજરાત રાજ્ય સરકાર ના મહેસુલ અને કાયદા મંત્રીશ્રી એ વલસાડ કલેકટર કચેરી ખાતે આયોજિત મેહુસલી મેળા માં જવા પહેલા અચાનક પોતાની સરકારી કારમાંથી ઉતરી રિક્ષામાં બેસી રજીસ્ટર ઓફિસ અને મામલતદાર કચેરી વલસાડ ખાતે પહોંચ્યા હતા અને આકસ્મિક ચેકિંગ હાથ ધરી ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી હતી અને કચેરીનાં અનુભવ અંગે પૂછપરછ કરી હતી, સોશિયલ મીડિયામાં પણ મહેસુલ મંત્રીશ્રી ની સરકારી કચેરીની આકસ્મિક મુલાકાતની સરાહના કરવામાં આવી રહી છે.



