


રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના તારાપુર – નાર સ્થિત ગોકુલધામ ખાતે મહિલાઓ માટે સ્તન સ્વાસ્થ્ય નિદાન અને જાગૃતિ અભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પ.પૂ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી, ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પૂજ્ય શ્રી મોહનપ્રસાદ સ્વામી જી, પૂજ્ય શ્રી સુખદેવપ્રસાદ સ્વામી, દિલ્હી હાઈકોર્ટ ના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી ધીરુભાઈ પટેલ, માનવ અધિકાર પંચ ના ચેરમેન શ્રી રવિભાઈ ત્રિપાઠી, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ચેરિટી કમિશનર શ્રી વાય.એમ.શુક્લા જી, ખંભાત ના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેકટર શ્રી, સંતગણ તથા મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
