





માનનીય અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય ની રાહબરી હેઠળ માનનીય મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તેમજ અન્ય સભ્ય શ્રીઓ સાથે નું સંસદીય પ્રતિનિધિ મંડળ વૈદ્યાનિક અને સંસદીય કાર્યરીતિ ના વૈચારિક આદાન-પ્રદાન માટે તારીખ 9 થી ૧૩ મી જૂન 2022 દરમિયાન ઉત્તર પ્રદેશ રાજ્યના અભ્યાસ પ્રવાસે ગયેલ છે આ પ્રતિનિધિ મંડળે ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ ભવન ની મુલાકાત લીધી અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લઈને તેઓશ્રી ના બંધારણીય વડપણ હેઠળ તથા માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નેતૃત્વવાળી સરકારમાં અમલમાં મૂકવામાં આવેલી ગરીબો આદિવાસીઓ દલિતો બાળકો અને મહિલાઓના વિકાસ અંગેની વિવિધ યોજનાઓ અંગે ડોક્ટર નીમાબેન એ વિચાર વિમર્શ કર્યો હતો અને રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ માટે શ્રીમતી આનંદીબેન પટેલે ધન્યવાદ પાઠવ્યા હતા અને માહામહીમ રાજ્યપાલ શ્રી સાથે જુના સંસ્મરણોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી

