શ્રી ધાન્ધાર મોઢ /મોદી ડીસા રાજપુર પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું….

હિન્દુ ધર્મ માટે ચારધામ યાત્રાઓ જેમકે બદ્રીનાથ/ કેદારનાથ /ગંગોત્રી અને યમુ યમનોત્રી ની આ યાત્રાઓ ખૂબ જ આપણી આસ્થા નું પ્રતીક છે. સાથે સાથે અમરનાથ યાત્રા (બરફીલા ભોલેનાથ, શિવ ભગવાન )જે યાત્રા પણ એટલી જ પ્રચલિત અને આસ્થા ના પ્રતીક સમાન છે. જે યાત્રામાં દેશમાંથી વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવી અનેક લોક આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે અનુસંધાને યાત્રાના ભાગરૂપે આ યાત્રાના ભાગરૂપે ચંદુભાઈ એટીડી (મોદી) તથા મીનાક્ષી મોદી ડીસા જેવો તારીખ: 2/ 7/ 2022, શનિવાર ના રોજ બરફીલા ભોલેનાથ/ પાર્વતી મૈયા/ શ્રી ગણેશ ભગવાન તથા નંદી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી .જેના ભાગરૂપે આજ રોજ શ્રી ધન્ધાર મોઢ/મોદી ડીસા રાજપુર પરિવારના અશ્વિનભાઈ જેઠાલાલ મોદી (મંત્રીશ્રી )કેતનભાઇ કાંતિલાલ મોદી (સહમંત્રી શ્રી) મેહુલભાઈ પ્રવીણ ચંદ્ર મોદી (ખજાનચી) નટવરલાલ પ્રહલાદભાઈ મોદી (સલાહકાર) વસંતભાઈ મફતલાલ મોદી જેઓ દ્વારા પુષ્પગુચ્છ /સાલ ઓઢાડી /મોં મીઠું કરાવી/ શુભેચ્છા પત્ર આપી વિશે સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ચંદુભાઈ એ. ટી.ડી. (મોદી)એ જણાવ્યું કે અમરનાથની યાત્રા કરવી એ અને ભોલેનાથના દર્શન કરી દર્શન કરવા એ જીવનનો મોટો લાવો છે. અને આપ પણ ભવિષ્યમાં ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી……
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *