ગીર સોમનાથ જિલ્લા ના પ્રચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક

આજ ના ટેકનોલોજી સાથે ચાલતા આધુનિક જમાના માં લોકો પોતાનો જન્મદિવસ કે ઘર માં આવતા સુભ પ્રસંગો ની ઉજવણી પોતાના મિત્ર સર્કલ સગા સ્નેહીઓ સાથે મળીને વિદેશી કલ્ચર ને અનુસરી ને કેક આપી નાચગાન કરી આનંદ કરી ઉજવતા હોય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ના પ્રચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક કરતું માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું વેરાવળ સ્થિત આવેલ એક સંસ્થા નિરાધાર નો આધાર માનવસેવા ટ્રસ્ટ કે જ્યાં માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિ ઓ કે જેઓ પોતે કોણ છે સુ કરે છે દુનિયાદારી સાથે જેમને કોઈ નિસ્બત જ નથી એવા વ્યક્તિઓ ને પ્રભુજી સ્વરૂપ માની તેમની સેવા કરે છે એવાં 70 જેટલા માનસિક અસ્થિર પ્રભુજી ઓ ને આજે હિરેન ભાઈ એ ભોજન પીરસી પોતાના જન્મદિવસ ની સાચી ઉજવણી કરી અને સૌ સેવાપ્રેમી જનતા ને પણ પોતાના જન્મદિવસે ખોટા ખર્ચા ના કરી આવી સંસ્થા ઓ ને સાથ સહકાર આપીએ તેમજ સાચા અર્થ માં જમદિવસ આવા વ્યક્તિ ઓ વચ્ચે ઉજવીએ અને એક અલગ જ આનંદ ની અનુભૂતિ કરીએ એવો સંદેશ આપ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM