
રિપોર્ટ : બીના પટેલ
25 સપ્ટેમ્બર ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના કાસોર ગામે રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, આણંદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ સોલંકી, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ અંજનાબેન પટેલ, ખંભોળજ જિલ્લા પંચાયત સભ્ય સુનિલભાઈ સોલંકી, આણંદ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન બળવંતભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય કેસરીસિંહ, કુંજરાવના સરપંચ ભરતભાઈ પટેલ, સરપંચ શ્રી કાસોર, યોગરાજસિંહ, તથા કાર્યકરો હાજર રહ્યા હતા.

