







સિધ્ધપુર સિંધી સમાજના પ્રમુખ સહ આગેવાનોના આમંત્રણને માન આપી વિધાનસભા ચાલુ હોવા છતાં ચેટી ચાંદની પૂર્વ સંધ્યાએ આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ શુભ દીને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત રુદ્ર મહાલય પાસે ઝુલેલાલ ભગવાનના મંદિરે ભગવાનની આરતી ઉતારી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. સર્વે સિંધી સમાજના ભાઈઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નંદુભાઈ માસ્ટર, પાલિકા પ્રમુખ ક્રૃપાબેન આચાર્ય, લચ્છુભાઇ મુલાની, બસુભાઈ રોનક, જેઠાલાલ ક્રિપલાની, નારીભાઈ લસ્સી વાળા, ઝુલેલાલ મંડળના સભ્યો, યુવાનો , કિરણકુમાર શાસ્ત્રી, ઉર્વેશભાઈ પંડ્યા, વિક્રમસિંહ ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ , ધર્મેન્દ્ર ભટ્ટ, નગરપાલિકાના સભ્યો અને ધાર્મિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
