સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સુરત મહાનગરના વોર્ડ સંયોજક નિકુંજભાઈ ટાંક દ્વારા ‘સ્વામી વિવેકાનંદ વન’ અભિયાન હેઠળ કતારગામમાં મોટીવેડ ખાતે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા, પુર્વ મેયર શ્રી ડો.જગદીશભાઈ પટેલ, મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વિવિધ હોદેદારો, ભાજપા સુરત મહાનગરના સંગઠન તથા વિવિધ વોર્ડ તથા મોરચાના હોદેદારો, સંયોજકશ્રીઓ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તારીખ બીજી ઓગષ્ટ, બુધવારે સવારે મોટી વેડ ગામ ખાતે યોજાયેલા વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લીમડો, પીપળો જેવા ભારતની ભૂમિની ધરોહર જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
