

એડવેન્ચર અનલિમિટેડ કચ્છ દ્વારા હાલ શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે વિવિધ શિવમંદિર ના ટ્રેક કરવામાં આવી રહ્યા છે, જેમાં આ રવિવારે ગ્રુપ દ્વારા હિંમતનગર ના રાજસ્થાન બોર્ડર પાસેના પોળોના વનમાં આવેલ શારણેશ્વર શિવમંદિર પાસેના વનમાં ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભુજ, માધાપર, રતનાલ, અંજાર, ગાંધીધામના 28 લોકો જોડાયા હતા. ટ્રેકનું આયોજન પિયુષટાંક, જીજ્ઞેશગોસ્વામી, ઇકબાલકુંભાર ,જ્યોતિઠાકવાન, દિસલડાભી અને જીતુ ગોસ્વામી એ સંભાળ્યું હતું.
