રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ નવી દિલ્હીમાં ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ નવી દિલ્હીમાં ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી હતી. આ અવસરે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, વિદેશ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, શ્રી અજય કુમાર મિશ્રા અને શ્રી નિશીથ પ્રામાણિક ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી અને ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલનો 148મો જન્મદિવસ છે અને સમગ્ર દેશ વર્ષ 2014થી દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે. તેમણે કહ્યું કે આઝાદી પછી અંગ્રેજોએ ભારતને ખંડિત કરીને છોડી દીધું હતું અને તે સમયે ભારતના ‘લોખંડી પુરૂષ’ સરદાર વલ્લભભાઈ પટેલે થોડા દિવસોમાં 550 થી વધુ રજવાડાઓને એક કરીને ભારત માતાનો વર્તમાન નકશો બનાવવાનું મોટું કાર્ય કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલના સંકલ્પ, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોખંડ જેવા નક્કર ઇરાદાનું પરિણામ છે કે આજે ભારત આઝાદીના 75 વર્ષ પછી વિશ્વની સામે આદર સાથે ઊભું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ફેલાયેલા આ વિશાળ દેશને એક કરવા માટે સરદાર પટેલનું અવિસ્મરણીય યોગદાન છે અને આ દેશ તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં. તેમણે કહ્યું કે તેથી જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સરદાર પટેલને યોગ્ય માન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશ રન ફોર યુનિટી અને રાષ્ટ્રીય એકતા દિવસના સંકલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે આ રાષ્ટ્રીય એકતા દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે આ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પછી શરૂ થયેલ ‘અમૃત કાળ’નો પ્રથમ રાષ્ટ્રીય એકતા દિવસ છે. તેમણે કહ્યું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહ્વાન કર્યું છે કે આઝાદીના 75મા અને 100મા વર્ષ વચ્ચેના 25 વર્ષ એ ‘સંકલ્પ સે સિદ્ધિ’ના 25 વર્ષ છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવો પડશે કે દેશની આઝાદીની શતાબ્દીના અવસર પર આપણે વિશ્વના દરેક ક્ષેત્રમાં પ્રથમ રહીશું. શ્રી શાહે કહ્યું કે, દેશની 130 કરોડ જનતાએ આ સંકલ્પ લેવાનો છે અને આ સંકલ્પોને પૂર્ણ કરવા માટેના સામૂહિક પ્રયાસો રાષ્ટ્રીય એકતા દિવસના શપથ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “આવો આપણે સૌ સાથે મળીને આગામી 25 વર્ષમાં ભારતને વિશ્વમાં પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ કરીએ અને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવા માટે સમર્પિતપણે કામ કરીએ”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *